આમ આદમી પાર્ટીએ ૫ ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી અંગે ચૂંટણી પંચને પત્ર લખ્યો છે. સીએમ આતિશીએ મુખ્ય ચૂંટણી કમિશનરને બીજા પત્ર લખ્યો. આ તેમનો બીજા પત્ર છે. આતિશીએ મુખ્ય ચૂંટણી કમિશનરને મળવા માટે તાત્કાલિક સમય માંગ્યો છે. આતિશીએ કહ્યું કે મને મળવાનો સમય આપવામાં તમને વાંધો કેમ છે? દિલ્હી ચૂંટણી માટે ફક્ત ૨૭ દિવસ બાકી છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે તમને મળવું જરૂરી છે. દિલ્હીની ચૂંટણી પર આખો દેશ અને મીડિયાની નજર છે.
સીએમ આતિશીએ ૫ જાન્યુઆરીએ પત્ર દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરને મળવા માટે સમય પણ માંગ્યો હતો. તેમણે નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં મત કાપવા અને ઉમેરવા અંગે પંચ પાસે સમય માંગ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને લખેલા પત્રમાં, દિલ્હીના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ મારા ૦૫.૦૧.૨૦૨૫ ના અગાઉના પત્ર સાથે સંબંધિત છે, જેમાં નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં મોટા પાયે મતદારોના નામ કાઢી નાખવા અને ઉમેરવાના મુદ્દાને પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જાકે, મારા પત્રના જવાબમાં, મારી ઓફિસને દિલ્હીના નાયબ મુખ્ય ચૂંટણી અધિકારી લલિત મિત્તલ તરફથી એક પત્રવ્યવહાર (જોડાયેલ) મળ્યો છે જેમાં જણાવાયું છે કે ઓફિસ આ બાબતની તપાસ કરી રહી છે.
પત્રમાં આતિશીએ લખ્યું, ‘સાહેબ, મારા પત્રમાં મેં આ બાબતે તમારી સાથે વ્યક્તિગત રીતે ચર્ચા કરવા અને માર્ગદર્શિકા મેળવવા માટે તાત્કાલિક સમય માંગ્યો છે કારણ કે આ મામલો સ્થાનિક સીઈઓના કાર્યક્ષેત્રની બહાર છે.’ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે હવે ૨૭ દિવસથી પણ ઓછા સમય બાકી છે, તેથી આ બાબતને ટોચની પ્રાથમિકતા પર ધ્યાનમાં લેવી જાઈએ. આ સમયગાળા દરમિયાન, દિલ્હી એકમાત્ર રાજ્ય છે જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે અને આખો દેશ અને તેનું મીડિયા આ ચૂંટણીઓ અને તેની પ્રક્રિયાઓ પર નજીકથી નજર રાખશે. અમે ભારતના ચૂંટણી પંચ પર વિશ્વાસ રાખીએ છીએ કે તે મુક્ત અને ન્યાયી ચૂંટણીના સિદ્ધાંતોને જાળવી રાખશે.