દામનગર શહેરમાં ખોડીયારનગરના રહીશો અને ખેડૂતોની કાયમી રસ્તાની માગણી માટે પાલિકા પરિસરમાં પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ બીજા દિવસે વ્યાજબી માંગ અંગે સહમતી થતા આંદોલન સમેટાયું હતું. આ માટે બગસરા અને દામનગરના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડી.એન. હુંણ, દામનગર પીએસઆઈ પી.આર. કસાડા, પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા, પાલિકાના સદસ્ય જીતુભાઇ નારોલા, કાર્યકર સચિનભાઈ બોખા સહિતનાએ સંભવિત રસ્તાના સ્થળની વિઝિટ કરીને રસ્તાની સરકારી જમીન ઉપર ગેરકાયદે છાપરા સાત દિવસમાં હટાવી વૈકલ્પિક રસ્તો આપવા હકારાત્મક વલણ અપનાવ્યું હતું. આથી અત્યારે વૈકલ્પિક રસ્તો મળી જતા રસ્તા મુદ્દે પીડાતા પરિવારોમાં સંતોષ જોવા મળ્યો હતો.