તોફાન દાનાને જાતા પશ્ચિમ બંગાળ અને ઓડિશા એલર્ટ પર છે. બંગાળમાં ૯ જિલ્લાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બુધવારથી ૨૬ ઓક્ટોબર સુધી બંધ રહેશે. ઓડિશાના ૧૪ જિલ્લામાં ૨૩ થી ૨૫ ઓક્ટોબર સુધી તમામ શાળાઓ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. વાવાઝોડું દાના મંગળવારે સવારે પૂર્વ કિનારા તરફ આગળ વધ્યું છે.આઇએમડી કહે છે કે ઓડિશાએ આનો સામનો કરવો પડશે. આ તોફાન ૨૫ ઓક્ટોબરની સવારે પુરી અને સાગર દ્વીપ વચ્ચે ઉત્તરી ઓડિશા અને દક્ષિણ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અથડાશે. જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે ત્યારે ૧૦૦ થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આ પવનની ઝડપ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ઓડિશા સરકારે ૨૩ થી ૨૫ ઓક્ટોબર સુધીના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરી દીધી છે. ૧૬૦ થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે.
દાનાનો સામનો કરવા માટે ઓડિશા સરકાર એલર્ટ મોડ પર છે. રાજ્ય સરકારે ૧૦ વધારાની દ્ગડ્ઢઇહ્લ ટીમોની માંગણી કરી છે. મહેસૂલ અને આપત્તિ પ્રબંધન મંત્રીએ કહ્યું કે, દ્ગડ્ઢઇહ્લની હાલની ટીમોને તે જિલ્લાઓમાં મોકલવામાં આવી છે જ્યાં દાના ત્રાટકી શકે છે. આ સાથે ઓડિશા ડિઝાસ્ટર Âક્વક રિસ્પોન્સ ફોર્સની ૧૭ ટીમો પણ ૧૦ જિલ્લામાં તૈનાત કરવામાં આવશે. એટલું જ નહીં, ૩ અન્યૅડ્ઢઇછહ્લ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવશે. વાવાઝોડાને જાતા હવામાન વિભાગે માછીમારોને અપીલ કરી છે. કહેવામાં આવ્યું છે કે ૨૩ થી ૨૫ ઓક્ટોબર સુધી દરિયામાં ન જવું જાઈએ. તોફાન દાનાને જાતા બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું છે કે વહીવટીતંત્ર કોઈપણ આફતનો સામનો કરવા માટે તૈયાર છે. સાવચેતીના પગલા તરીકે, મુખ્યમંત્રીએ ૯ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને બુધવારથી ૨૬ ઓક્ટોબર સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. રાજ્ય અને જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ મોનીટરીંગ કરી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્ય સરકાર ચક્રવાતી તોફાનનો સામનો કરવા માટે તૈયાર છે. માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. ડીએમ અને એસપીને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી તેના પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.
આ વાવાઝોડાની દક્ષિણ અને ઉત્તર ૨૪ પરગણા જિલ્લાઓ, પૂર્વ મેદિનીપુર અને દરિયાકાંઠાના વિસ્તારો પર ભારે અસર થઈ શકે છે. તોફાનની અસર પશ્ચિમ મેદિનીપુર, બાંકુરા, હુગલી અને ઝારગ્રામમાં પણ જાવા મળી શકે છે. વાવાઝોડાને જાતા ઉત્તર ૨૪ પરગણા, દક્ષિણ ૨૪ પરગણા, પશ્ચિમ મેદિનીપુર, પૂર્વ મેદિનીપુર, હાવડા, હુગલી, ઝારગ્રામ, બાંકુરા અને કોલકાતામાં બુધવારથી ૨૬ ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રહેશે.આ વાવાઝોડાને કારણે ૫૦૦થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. પ્લેન પર ૧૬ કલાક માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એનડીઆરએફની ૫૦થી વધુ ટીમો તૈનાત કરવામાં આવી છે. ચક્રવાતી તોફાન ‘દાના’ના જાખમનો સામનો કરવા માટે, ઓડિશાના કેટલાક દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી લગભગ ૧૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. સાવચેતીના પગલા તરીકે, પશ્ચિમ બંગાળમાં ૧.૧૪ લાખથી વધુ લોકોને પહેલેથી જ આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવ્યા છે.
ચક્રવાતી વાવાઝોડા ‘દાના’ને ધ્યાનમાં રાખીને સુરક્ષા તૈયારીઓ પર નજર રાખતા, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું છે કે ૩૦ ટકા લોકો (ત્રણ-ચાર લાખ) જાખમી ક્ષેત્રમાં રહે છે, તેમને બુધવારે સાંજે ત્યાંથી ખસેડવામાં આવ્યા છે. .ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ તમામ ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં રહેવા વિનંતી કરી છે. ડોકટરોની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને તેમને તેમના સંબંધિત આરોગ્ય કેન્દ્રોમાં પાછા બોલાવવામાં આવ્યા છે.’દાના’ને ધ્યાનમાં રાખીને, બીજુ પટનાયક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવાર સાંજથી ૧૬ કલાક માટે ફ્લાઇટ આૅપરેશન સ્થગિત કરવામાં આવશે. એરપોર્ટની કામગીરી ૨૪ ઓક્ટોબરે સાંજે ૫ વાગ્યાથી ૨૫ ઓક્ટોબરના રોજ સવારે ૯ વાગ્યા સુધી સ્થગિત રહેશે.
આઇએમડીના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે કેન્દ્રપારા, ભદ્રક, બાલાસોર, જગતસિંહપુર અને પુરી જેવા પ્રભાવિત જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઓડિશાના ૧૪ જિલ્લાઓમાં ૧૮૨ ફાયર અને બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે, જે ચક્રવાતથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે.
ઓડિશા સરકારે રાજ્યના ૧૪ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ૨૮૮ બચાવ ટુકડીઓ તૈનાત કરી છે. સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ની ૧૯ ટીમો, ઓડિશા ડિઝાસ્ટર રેપિડ રિસ્પોન્સ ફોર્સની ૫૧ ટીમો અને ફાયર સર્વિસની ૧૭૮ ટીમો તૈનાત કરી છે.હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપતા કહ્યું કે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં ૯૦-૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, જે ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.