અમરેલી શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. પરિણીતાને ‘તું મારી સાથે કેમ વાત કરતી નથી’ તેમ કહી હાથ પકડી છેડતી કરવામાં આવી હતી. તેમજ ગાળો બોલીને ‘જો તું સંબંધ નહીં રાખે તો તારા પતિને મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે પરિણીતાએ ધર્મેશભાઈ ઘેલાભાઈ ખોયાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ તેમના ઘરનું રિનોવેશનનું કામ રાખ્યું હતું. જેથી તેની સાથે અવારનવાર વાતચીત થતી હતી. તેઓ તેની સાથે વાત કરવા માંગતા ન હોવાથી આરોપીએ તેમને ‘તું મારી સાથે વાત કેમ કરતી નથી’ તેમ કહી રૂમમાં જતી રોકી હાથ પકડી છેડતી કરીને બિભત્સ ગાળો આપી હતી. ઉપરાંત જો સંબંધ ન રાખે તો તેના પતિને મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદીની ફરિયાદ પરથી અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મેહુલકુમાર વિનુભાઈ મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.