(એ.આર.એલ),કાઠમંડુ,તા.૩૧
નેપાળ રાષ્ટ બેંકે ૧૦૦ રૂપિયાની નોટની પ્રિન્ટંગ ચીનની એક કંપનીને સોંપી દીધી છે. ચીની કંપની નોટોની ૩૦ કરોડ નકલો છાપશે. આ નોટમાં બનાવેલા નકશામાં ભારતના લિપુલેખ, લિમ્પયાધુરા અને કાલાપાની વિસ્તારોને નેપાળના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. નેપાળની મંત્રી પરિષદે ૧૦૦ રૂપિયાની નોટની ડિઝાઇનમાં ફેરફારને મંજૂરી આપી હતી.૧૮ જૂન, ૨૦૨૦ ના રોજ, નેપાળે તેના નવા રાજકીય નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પયાધુરાનો સમાવેશ કરવા માટે બંધારણમાં સુધારો કર્યો, જેને ભારતે અસ્વીકાર્ય અને કૃત્રમ વિસ્તરણ ગણાવ્યું. લિમ્પયાધુરા, લિપુલેખ અને કાલાપાની ભારતનો ભાગ છે.અહેવાલો અનુસાર, સ્પર્ધાત્મક વૈશ્વક ટેન્ડર પ્રક્રિયા બાદ રૂ. ૧૦૦ની નોટ છાપવાનો કોન્ટ્રાક્ટ ચાઈના બેંકનોટ પ્રિન્ટંગ એન્ડ મિન્ટંગ કોર્પોરેશનને આપવામાં આવ્યો છે. દ્ગઇમ્એ કંપનીને આશરે ૮.૯૯ મિલિયનની કિંમતની ૩૦૦ મિલિયન રૂપિયાની ૧૦૦ નોટ ડિઝાઇન, પ્રિન્ટ, સપ્લાય અને વિતરણ કરવા જણાવ્યું છે. જાકે, નેપાળ રાષ્ટÙ બેંકના પ્રવક્તાનો સંપર્ક કરવા પર કોઈ જવાબ મળ્યો ન હતો.
ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો ૨૦૨૦માં તંગ બન્યા હતા. જ્યારે કાઠમંડુએ નવો રાજકીય નકશો પ્રકાશિત કર્યો, જેમાં લિમ્પયાધુરા, લિપુલેખ અને કાલાપાની નેપાળના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. ભારતે આને એકપક્ષીય કૃત્ય ગણાવીને તીખી પ્રતિક્રિયા આપી હતી. નેપાળને ચેતવણી આપી હતી કે આ પ્રકારનું કૃત્રમ વિસ્તરણ સ્વીકાર્ય નહીં હોય.નેપાળ પાંચ ભારતીય રાજ્યો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, બિહાર, યુપી અને ઉત્તરાખંડ સાથે ૧૮૫૦ કિલોમીટર લાંબી સરહદ વહેંચે છે. આ ત્રણ વિવાદિત વિસ્તારો લગભગ ૩૭૦ ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે.
દક્ષિણ એશિયાની મુત્સદ્દીગીરીમાં કાલાપાની ક્ષેત્ર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. તે ભારત, તિબેટ અને નેપાળ વચ્ચેના ત્ર-જંક્શન પર છે. તે જ સમયે, લિપુલેખ પાસ ઉત્તરાખંડને તિબેટ સાથે જાડે છે. લિમ્પયાધુરા પાસ વિસ્તાર પર નેપાળનો દાવો કાલાપાની પરના તેના દાવાથી ઉદ્ભવે છે. તે તિબેટની નાગરી સરહદ પાસે ભારતને અડીને આવેલું છે. લિમ્પયાધુરા-કાલાપાની-લિપુલેખ એ ઉત્તરાખંડના કુમાઉ વિભાગના પિથોરાગઢ જિલ્લાનો એક ભાગ છે અને તે સંપૂર્ણપણે ભારતીય વહીવટ હેઠળ છે.
નોંધનીય છે કે લિમ્પયાધુરા, લિપુલેખ અને કાલાપાની ભારતનો ભાગ છે. નેપાળે પોતાના નવા રાજકીય નકશામાં લિપુલેખ, કાલાપાની અને લિમ્પયાધુરાને સામેલ કરવા માટે બંધારણમાં સુધારો કરીને વિવાદ સર્જ્‌યો છે. નેપાળના નવા ચલણનો ખોટો નકશો ભારતીય ક્ષેત્ર તરીકે દર્શાવવાથી બંને દેશો વચ્ચેના વેપાર અને મિત્રતાના સંબંધો પર અસર પડી શકે છે. ઉત્તરાખંડના ચંપાવતમાં પૂર્વ જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ બહાદુર સિંહ પટણીના જણાવ્યા અનુસાર નેપાળના નવા ચલણનો ખોટો નકશો ભારતીય વિસ્તાર તરીકે દર્શાવવાથી બંને દેશોની મિત્રતાને નુકસાન થશે. પ્રાચીન કાળથી ચાલતી આવી રહેલી મૈત્રીમાં કોઈ લગાવ નહીં હોય. લોકોના મન અને સંબંધોમાં તિરાડ ઊભી થઈ શકે છે. ભારત અને નેપાળ વચ્ચે તણાવ વધવાની આશંકા વ્યક્ત કરતા આ જ રાજ્યના કેપ્ટન ભાની ચંદે કહ્યું કે નેપાળ તેની નવી કરન્સીમાં ખોટો નકશો દર્શાવીને ઉશ્કેરણીજનક કૃત્ય કરી રહ્યું છે. ભારતે ક્યારેય નેપાળ કે અન્ય કોઈ પાડોશી દેશ પાસેથી એક ઈંચ જમીન લીધી નથી. નેપાળ સરકારે નવા ચલણમાં તેનો વાસ્તવિક અને સાચો નકશો દર્શાવવો જાઈએ.