મૈનપુરીના સાંસદ ડિમ્પલ યાદવના કપડાં અંગે વિવાદાસ્પદ નિવેદન આપનારા મૌલાના સાજિદ રશીદીને નોઇડામાં માર મારવામાં આવ્યો છે. એક ટીવી શો દરમિયાન સપા કાર્યકરો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને થપ્પડ મારી હતી. તમને જણાવી દઈએ કે મૌલાના સાજિદ રશીદી ઓલ ઈન્ડિયા ઇમામ એસોસિએશનના પ્રમુખ છે.
આ કેસમાં, મૌલાના સેક્ટર-૧૨૬ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસમાં ફરિયાદ કરી, ત્યારબાદ સેક્ટર-૧૨૬ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર ભૂપેન્દ્ર બાલિયાને કહ્યું કે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
મૌલાના સાજિદ રશીદીએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. વાસ્તવમાં ડિમ્પલ યાદવ થોડા દિવસો પહેલા એક મસ્જીદમાં ગયા હતા. આ સમય દરમિયાન મૌલાના સાજિદ રશીદીએ ડિમ્પલના કપડાં પર એક વિવાદાસ્પદ વાત કહી હતી.
મૌલાનાએ કહ્યું હતું કે, “હું તમને એક ફોટો બતાવીશ, જે જાઈને તમને શરમ આવશે. હું કોઈનું નામ નથી લેતો પણ બધા જાણે છે કે, જે મહિલા તેની સાથે હતી તે તેના મુસ્લિમ પોશાકમાં હતી. તેનું માથું ઢંકાયેલું હતું. બીજી મહિલા ડિમ્પલ યાદવ હતી.
મૌલાના સાજિદ રશીદીના ડિમ્પલ યાદવ પરના વિવાદાસ્પદ નિવેદન પછી, તેઓ સમાચારમાં હતા અને તેમની ટીકા થઈ રહી હતી. આ દરમિયાન, તેઓ એક ટીવી ચેનલના કાર્યક્રમમાં ભાગ લેવા માટે નોઈડા પહોંચ્યા હતા. આ સમય દરમિયાન સપાના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો અને તેમને થપ્પડ મારી.
સપાના કાર્યકરોએ પોતે જ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ કેસમાં, સમાજવાદી પાર્ટીના છાત્ર સભાના જિલ્લા પ્રમુખ ગૌતમ બુદ્ધ નગર, મોહિત નગરે સોશિયલ મીડિયા પર એકવીડિયો પોસ્ટ કર્યો અને કહ્યું કે ડિમ્પલ પર મૌલાનાની વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે મૌલાના અને સપાના કાર્યકરો વચ્ચે દલીલ થઈ અને સપાના લોકોએ તેમને માર માર્યો.મોહિત નાગરે કહ્યું, “મૌલાના એક ખાસ પક્ષના એજન્ટ બની ગયા છે. જા મૌલાના માફી નહીં માંગે તો તેમની સામે કેસ નોંધવામાં આવશે.”