કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ‰ડોએ તેમની પાર્ટીના સાંસદોની નારાજગી છતાં આગામી ચૂંટણીમાં લિબરલ પાર્ટીનું નેતૃત્વ કરવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, લિબરલ પાર્ટીના ઘણા સાંસદોએ માંગ કરી છે કે જસ્ટિન ટ‰ડોએ આગામી ચૂંટણી પહેલા પદ છોડવું જાઈએ અને આગામી પીએમ પદ માટે ચૂંટણી લડવી જાઈએ નહીં. સાંસદોનું માનવું છે કે ટ‰ડો સરકાર સામે લોકોમાં ભારે નારાજગી છે. જાકે, હવે ટ‰ડોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પીછેહઠ કરવા તૈયાર નથી. ટ‰ડોની પાર્ટીના એક સાંસદે આ જાહેરાત પર નિરાશા વ્યક્ત કરી છે.
જસ્ટિન ટ‰ડોને પત્રકારોએ પૂછ્યું કે શું તેઓ ૨૮ ઓક્ટોબર પછી પણ પીએમ તરીકે ચાલુ રહેશે? આના પર ટ‰ડોએ સ્પષ્ટ કહ્યું – હા. હકીકતમાં, લિબરલ પાર્ટીના સાંસદોએ જસ્ટિન ટ‰ડોને પીએમ પદ છોડવાનો નિર્ણય લેવા માટે ૨૮ ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. નોંધનીય છે કે તાજેતરની બે જિલ્લા ચૂંટણીઓમાં લિબરલ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ પાર્ટીની અંદર ટ‰ડોના નેતૃત્વ વિરુદ્ધ અવાજા ઉઠવા લાગ્યા હતા. તાજેતરમાં, કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીના બે ડઝનથી વધુ સાંસદોએ જસ્ટિન ટ‰ડોને પદ છોડવાની માંગ કરતો પત્ર લખ્યો હતો. તેનું કારણ પાર્ટીની ઘટી રહેલી લોકપ્રિયતા હોવાનું કહેવાય છે.
કેનેડામાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી વિવાદ ચાલુ છે. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તિરાડ ત્યારે પડી જ્યારે ટ‰ડોએ ગયા વર્ષે કેનેડિયન સંસદમાં આરોપ લગાવ્યો હતો કે તેમના પર ‘વિશ્વસનીય આરોપો’ છે કે ભારત ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સામેલ છે. ભારતે કેનેડાના આરોપોને ‘વાહિયાત’ અને ‘રાજકીય રીતે પ્રેરિત’ ગણાવીને રદિયો આપ્યો હતો. ભારતે કેનેડા પર તેના દેશમાં ઉગ્રવાદી અને ભારત વિરોધી તત્વોને આશ્રય આપવાનો પણ આરોપ લગાવ્યો છે. ૨૦૨૦ માં ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા આતંકવાદી જાહેર કરાયેલા નિજ્જરને ગયા વર્ષે જૂનમાં સરેમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તાજેતરમાં જ બંને દેશો વચ્ચેનો વિવાદ ફરી ત્યારે વધી ગયો જ્યારે કેનેડાએ એક ભારતીય રાજદ્વારી પર ગંભીર આરોપ લગાવ્યા, જેના પછી ભારતે ઘણા કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા અને પોતાના રાજદ્વારીઓને પાછા બોલાવ્યા