(એ.આર.એલ),મુંબઇ,તા.૧૪
મહારાષ્ટ્ર૨૦ નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા મરાઠા આરક્ષણ કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે ઈન્ટરવ્યુમાં ભાજપનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. ચૂંટણીના થોડા દિવસો પહેલા આપેલો તેમનો આ ઈન્ટરવ્યુ સત્તાધારી પક્ષને અસ્વસ્થ કરી શકે છે. ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે નામ લીધા વગર ભાજપ અને મહાયુતિ પર અનેકવાર પ્રહારો કર્યા હતા.
જરાંગેએ કહ્યું કે જે લોકો દાવો કરી રહ્યા છે કે હિંદુઓ જાખમમાં છે અને એકતાની વાત કરી રહ્યા છે તે જ લોકો મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત ન આપવા માટે જવાબદાર છે. ચૂંટણી અંગે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મતદારો ભારતીય જનતા પાર્ટી અને મહાયુતિને હરાવવા માટે તૈયાર છે. મહાયુતિ સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે સમાજનો દરેક વર્ગ તેનાથી પરેશાન છે.
મનોજ જરાંગે પાટીલે આરોપ લગાવ્યો કે હિંદુ એકતા માટે કામ કરવાનો દાવો કરનારા લોકોએ તેમના મરાઠા સમુદાયનો ઉપયોગ લઘુમતીઓને નિશાન બનાવવા માટે કર્યો હતો. પરંતુ જ્યારે મરાઠાઓએ તેમના અધિકારોની માંગણી કરી ત્યારે તેમની અવગણના કરવામાં આવી રહી હતી.
તેમણે કહ્યું કે જેઓ દાવો કરે છે કે હિંદુઓ જાખમમાં છે તો મરાઠાઓનું શું? શું તમને તેમના બાળકોની તકલીફો દેખાતી નથી? જા તમે કહો છો કે હિંદુઓ મુશ્કેલીમાં છે તો મરાઠાઓની સ્થિતિ સુધારવાની જવાબદારી તમારી છે. જ્યારે આપણે અનામત માંગીએ છીએ ત્યારે હિંદુઓ આપણા વિરોધી બની જાય છે, પરંતુ જ્યારે તેમને મુસલમાનોને ટાર્ગેટ કરવાના હોય ત્યારે આપણી જરૂર હોય છે.
બીજેપીના નારા પર મરાઠા કાર્યકર્તાએ કહ્યું જા ભાગલા થશે તો કપાશે અને જા એક સુરક્ષિત હશે તો હિંદુઓમાં કોણ ભાગલા પાડશે? તેમણે કહ્યું કે મરાઠા રાજ્યની સૌથી મોટી હિંદુ જાતિ છે. અમે અમારી વચ્ચેના પ્રશ્નોનું સમાધાન કરીશું. અમે એવા લોકો છીએ જેઓ છત્રપતિના હિંદુત્વને અનુસરે છે અને અમારી સુરક્ષા કરી શકીએ છીએ. તમે તમારા પોતાના કામ પર ધ્યાન આપો.
ચૂંટણીમાં મતદાનને લઈને જરાંગેએ કહ્યું કે મરાઠા સારી રીતે સમજે છે કે ચૂંટણીમાં કોને હારવું છે. આ વાત તેઓ લોકસભાની ચૂંટણી વખતે સમજતા હતા અને હવે પણ સમજી રહ્યા છે. મરાઠા કોઈ ભ્રમમાં નથી. શાસક પક્ષ પર મરાઠા સમુદાયને આરક્ષણ ન આપવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે જેઓ મરાઠાઓને આરક્ષણ ન મળવા દેતા હતા તેમની ૧૦૦ ટકા હાર થશે.
મહારાષ્ટÙમાં વિકાસ માટે રાજ્યમાં શાસક ગઠબંધનને ફરીથી ચૂંટવાની પીએમ મોદીની અપીલ વિશે પૂછવામાં આવતા, તેમણે ટોણો માર્યો કે સમાજનો દરેક વર્ગ એટલો ખુશ છે કે પીએમને શાસક સરકારને ‘ડબલ અન્જિન’ કરવાની જરૂર નથી ‘ટ્રિપલ અન્જિન સરકાર’ કહેવાય.
જરાંગેએ જણાવ્યું હતું કે રાજ્યમાં દરેક ખેડૂતના ખેતરમાં સિંચાઈ છે અને દરેક ખેડૂત દેવામુક્ત છે. સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે રાજ્યમાં ખેડૂતોને તેમનો હક્ક નથી મળી રહ્યો અને તેમને તેમના પાકના યોગ્ય ભાવ પણ નથી મળી રહ્યા.
અનામતના મુદ્દે જરાંગેએ કહ્યું કે મરાઠાઓ તેમના બાળકોના સારા ભવિષ્ય માટે આરક્ષણ ઈચ્છે છે, ધનગર અનામત ઈચ્છે છે અને નાના ઓબીસી સમુદાયો પણ તેમના બાળકો માટે આરક્ષણ ઈચ્છે છે. આરક્ષણ ન મળવાથી દરેક લોકો નારાજ છે. અનામત આંદોલનને કારણે રાજ્યમાં ઓબીસીમાં ધ્રુવીકરણ પર તેમણે કહ્યું કે તેની કોઈ અસર થશે નહીં.
તેમણે કહ્યું કે મરાઠા અને ઓબીસી ગામડાઓમાં સાથે રહે છે અને તેમની વચ્ચે કોઈ મતભેદ નથી. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર મરાઠાઓના હિતોને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે તેઓ જ સરકાર ચલાવી રહ્યા છે, મુખ્યમંત્રી એકનાથ શિંદે નહીં.જ્યારે તેમને શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને શિંદે વિશેના તેમના વિચારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મરાઠા આરક્ષણના મુદ્દે તેમને કોઈએ મદદ કરી નથી.