જામનગરમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ રહી હતી. જેમાં ૪૦ દુકાનો સહીત ૩૩૧ બાંધકામો હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે. આ બાંધકામ દૂર કરીને ત્યાં રોડ બનાવવામાં આવશે. જેમાં મહાવીર સ્મશાનથી ગાંધીનગર વિસ્તારનો રોડ બનાવવામાં આવશે. ડિમોલિશનની આ કામગીરી દરમિયાન ગઈકાલે ૪૦ ઉપરાંત બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.
પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની આ કામગીરી ચાલી રહી છે. જેમાં હિટાચી અને જેસીબી મશીન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ ડિમોલિશન પૂર્ણ થયા બાદ ૪૮ હજાર ચોમી જગ્યા ખુલ્લી થશે. બાંધકામ દૂર કર્યા બાદ ૧૨ મીટર પહોળાઈ ધરાવતો રોડ બનાવવામાં આવશે.