જાફરાબાદ સામાકાંઠામાં રહેતી એક યુવતિ ઘરેથી ચાલી નીકળી હતી. બનાવ અંગે મહેશભાઈ સોમાભાઈ બારૈયા (ઉ.વ.૪૫)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી કલ્પનાબેન (ઉ.વ.૧૯) બે દિવસ પહેલા ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. પરંતુ અત્યાર સુધી ઘરે પરત ફરી નથી. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.આર.ઝાલા વધુ તપાસ કરી રહ્યા છે.