જાફરાબાદ શહેરમાં વિજયાદશમીના પાવન અવસરે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગા વાહિની દ્વારા ભવ્ય શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગિરિરાજ ચોક ખાતે સાંજના સમયે યોજાયેલા આ કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને માતૃ શક્તિ-દુર્ગાવાહિનીના કાર્યકર્તાઓ ઉપરાંત સ્થાનિક વેપારીઓ અને હિન્દુ સંગઠનોના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે પણ પૂર્ણ વિધિ સાથે, ભૂદેવો અને સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત રીતે પૂજન સંપન્ન થયું હતું.