જાફરાબાદ પંથકમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યા છે ત્યારે ધોળાદ્રી ગામે એક પ્રૌઢ પાણીમાં તણાઈ ગયા હોવાની માહિતી મળતા ગ્રામજનોએ તાત્કાલિક મામલતદારને જાણ કરી હતી. તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમે તણાઈ ગયેલા પ્રૌઢની શોધખોળ હાથ ધરી છે.