મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે એક દુઃખદ રેલ્વે અકસ્માત થયો. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવાઓ બાદ, ઘણા મુસાફરો ટ્રેનમાંથી પાટા પર કૂદી પડ્યા અને બીજી બાજુથી આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસ દ્વારા કચડાઈ ગયા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૩ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલોની સારવાર હજુ પણ ચાલુ છે. તે જ સમયે, હવે માહિતી સામે આવી છે કે આ ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા ૧૩ લોકોમાંથી ૪ નેપાળના નાગરિકો છે.
અકસ્માતના એક દિવસ પછી ગુરુવારે, અધિકારીઓએ માહિતી આપી હતી કે જલગાંવ ટ્રેન અકસ્માતમાં માર્યા ગયેલા ૧૩ લોકોમાંથી ચારની ઓળખ નેપાળના નાગરિકો તરીકે થઈ છે. મૃતકોમાં એક છોકરો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં ૧૩માંથી આઠ મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. આમાંથી બે મૃતકોની ઓળખ તેમના આધાર કાર્ડ પરથી થઈ છે. જલગાંવ જિલ્લા માહિતી અધિકારીએ જણાવ્યું છે કે મૃત્યુ પામેલા આઠ લોકોમાંથી ચાર નેપાળના હતા.
અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી યાદી અનુસાર, ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર નેપાળી નાગરિકોની ઓળખ નવીન ભંડારી (૪૩ વર્ષ) (કોલાબા, મુંબઈમાં રહેતા), જ્વાકલા ભાટે (ભીવંડી, થાણેમાં રહેતા), ૬૦ વર્ષ વૃદ્ધ (મુંબઈના ભિવંડીમાં રહેતા હતા), ૪૦ વર્ષીય લચ્છીરામ ખટારુ પાસી અને એક ૧૧ વર્ષનો સગીર બાળક.
જલગાંવમાં થયેલા અકસ્માતમાં ૧૫ લોકો ઘાયલ પણ થયા હતા. નવીનતમ અપડેટ મુજબ, આમાંથી ૧૦ લોકોની સારવાર ચાલી રહી છે. નવ ઘાયલોની સારવાર પચોરા સિવિલ હોÂસ્પટલમાં અને એક ઘાયલની સારવાર જલગાંવ શહેરની હોÂસ્પટલમાં ચાલી રહી છે. તે જ સમયે, અન્ય જે લોકોને થોડી ઇજા થઈ હતી તેમને રજા આપવામાં આવી છે.