ગુજરાતના અમદાવાદ એરપોર્ટ નજીક એક મોટી વિમાન દુર્ઘટના બની છે. અહીં, એરપોર્ટને અડીને આવેલા મેઘાણી નગરમાં એર ઇન્ડિયાના એક પેસેન્જર વિમાનને ટેકઓફ થયા પછી તરત જ અકસ્માત થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. અકસ્માત પછી બધે કાળો ધુમાડો જાવા મળ્યો હતો અને ફાયર બ્રિગેડના ઘણા વાહનો બચાવ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
અકસ્માતનો પહેલો વીડિયો સામે આવ્યો છે જેમાં વિમાન આકાશમાં ઉડતું અને પછી થોડીક સેકન્ડમાં જમીન પર પડતું જાઈ શકાય છે. મળતી માહિતી મુજબ, આ વિમાન લગભગ ૪૦૦ ફૂટની ઊંચાઈથી નીચે પડતું જાઈ શકાય છે. જમીન પર પડતાની સાથે જ વિમાન આગનો ગોળો બની ગયું અને જારદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. સામે આવેલા રેસ્ક્યુ વીડિયોમાં જાઈ શકાય છે કે બધું રાખ અને કાટમાળમાં ફેરવાઈ ગયું છે.
અકસ્માત પછી ઘણા વીડિયો સામે આવ્યા છે. મેઘાણી નગર જ્યાં વિમાન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર છે અને આવી સ્થિતિમાં આસપાસની ઇમારતો પણ આગની લપેટમાં આવી ગઈ છે. એરપોર્ટથી મેઘાણી નગરનું અંતર લગભગ ૧૫ કિલોમીટર છે. અકસ્માત પછી તરત જ, ૭ ફાયર બ્રિગેડ વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે ઘણી એમ્બ્યુલન્સ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, વિમાનમાં કુલ ૨૪૨ લોકો સવાર હતા, જેમાં બે પાયલોટ, ૧૨ ક્રૂ મેમ્બર્સ અને ૨૩૦ મુસાફરોનો સમાવેશ થાય છે.જેમાંથી મોટાભાગના લોકોના મોત થયા છે ગુરુવારે બપોરે ૧:૩૮ વાગ્યે વિમાને ઉડાન ભરી હતી અને માત્ર બે મિનિટ પછી ૧:૪૦ વાગ્યે ક્રેશ થયું હતું. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમે આ વાતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ, આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું અને અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાના થોડા સમય પછી મેઘાણી નગર નજીક ક્રેશ થયું હતું.