ચલાલાના હુડલી ગામની સીમમાં રહેતા એક પરિવારની સગીરાનું બદકામના ઈરાદે અપહરણ થયું હતું. બનાવ અંગે છોટા ઉદેપુરના યુવક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સગીરાના પિતાએ છોટા ઉદેપુરના અજુન ગામના કિરણભાઇ રમેશભાઇ રાઠવા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે હુડલી ગામના રમેશભાઇ આણંદજીભાઇ સાવલીયાની વાડીમાં ભાગીયુ રાખ્યું હતું. આરોપીએ તેમની દીકરી સગીર વયની હોવાનું જાણવા છતાં વાડીએથી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે તેમના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો.
ચલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ જી.આર. વસૈયા વધુ તપાસ કરી રહ્યા છે.