સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપીને હેડલાઇન્સમાં આવ્યા છે. તેમણે કહ્યું કે જયપુર હાઈકોર્ટની સામે મનુ મહારાજની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જે મહિલાઓ અને દલિતોની ગરિમાની વિરુદ્ધ છે. પરંતુ મનુવાદી સ્વભાવના લોકો ગ્વાલિયર હાઈકોર્ટ બેન્ચમાં બાબા સાહેબની પ્રતિમા સ્થાપિત થવા દેતા નથી. તેમણે કહ્યું કે આ એ જ લોકો છે જેમણે ૫૫ વર્ષથી રાષ્ટ્રધ્વજ સ્વીકાર્યો ન હતો. આજે પણ તેમની મનમાની ચાલુ છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશો છતાં, રાજ્ય સરકાર બાબા સાહેબની પ્રતિમા સ્થાપિત કરી શકતી નથી.
સાંસદ રામજી લાલ સુમને કહ્યું કે તેઓ ગ્વાલિયર જવા માંગતા હતા. આ માટે તેમણે ગ્વાલિયર પ્રશાસન પાસે પરવાનગી માંગી હતી. પરંતુ છેલ્લા અઢી મહિનાથી તેમને ઉત્તર પ્રદેશના કોઈપણ જિલ્લામાં જવાની પરવાનગી મળી રહી નથી. રાજ્ય સરકારના કહેવાથી તેમની પરવાનગી રદ કરવામાં આવી હતી. તેઓ ગ્વાલિયર જઈને બાબા સાહેબની પ્રતિમા સ્થાપિત કરવાના પક્ષમાં પ્રદર્શન કરવા અને ત્યાં સભા યોજવા માંગતા હતા. જાકે, તેમને ક્યાંય જવાની પરવાનગી મળી રહી નથી.
રામજી લાલ સુમને કહ્યું કે, ચિંતાનો વિષય છે કે ત્રણ આદેશો છતાં, ગ્વાલિયર હાઇકોર્ટ બેન્ચમાં પ્રતિમા સ્થાપિત કરવામાં આવી રહી નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે કેટલાક લોકો જાણી જાઈને એવી પરિસ્થિતિ ઉભી કરી રહ્યા છે કે ત્યાં તણાવપૂર્ણ વાતાવરણ બને. મધ્યપ્રદેશની ભાજપ સરકાર પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, જા સરકાર ઇચ્છે તો, બાબા સાહેબ ડા. ભીમરાવ આંબેડકરની પ્રતિમા થોડીવારમાં સ્થાપિત કરી શકાય છે, પરંતુ સરકાર આ ઇચ્છતી નથી.
તેમણે કહ્યું કે, આ એ જ લોકો છે જેમણે દેશમાં બંધારણ બનતી વખતે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જ્યારે દેશમાં મનુવાદી બંધારણ ચાલી રહ્યું છે, તો દેશમાં બંધારણની શું જરૂર છે. તેમણે કહ્યું, આ એ જ લોકો છે જેમણે ૫૫ વર્ષથી રાષ્ટ્રધ્વજ અપનાવ્યો નથી.