ગુજરાત પોલીસ એડિશનલ ડીજી અભયસિંહ ચુડાસમાએ રાજનીતિમાં આવવાને લઈ થઈ રહેલી અટકળો અંગે કોડીનાર ખાતે યોજાયેલા જી.આર.સી.એ.ના કાર્યક્રમમાં મોટો ખુલાસો કર્યો હતો. નિવૃત્તિ પછી અભય ચુડાસમા રાજનીતિમાં આવશે તેવી ચર્ચાઓએ વેગ પકડતાં તેમણે કોડીનાર ખાતે જી.આર.સી.એ.ના સરસ્વતી સન્માન સમારંભના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ખુલાસો કરતાં કહ્યું કે હું નિવૃત્તિ પછી રાજનીતિમાં આવવાનો નથી, રાજનીતિ મારું ક્ષેત્ર પણ નથી અને હું આવવાનો પણ નથી. મારી નોંધ બહુ જ લેવાય છે, કાન માંડીને સાંભળતા હશે કે આજે નવું શું બોલશે. નવું એજ છે કે હું રાજકારણમાં ક્યારેય જવાનો નથી પણ નિવૃત્તિ પછી સમાજના શિક્ષણ માટેનું કામ કરીશ. અમે ટીમ બનાવીશું, ગામે ગામ ફરીશું જે વિદ્યાર્થીને જરૂરિયાત હશે તે પૂરી કરીશું.