રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે,આરોગ્ય વિભાગના તાજેતરના આંકડાઓ અનુસાર ગુજરાતમાં કોરોનાના એક જ દિવસમાં નવા ૧૬૭ કેસ નોંધાયા. અત્યાર સુધી કુલ ૬૧૫ કેસ નોંધાયા, જેમાં ૬૦૦ દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે તો ૧૫ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ છે. આજરોજ ૬૦ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા.જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલનાં ડોક્ટર કોરોના સંક્રમિત થયા છે. રેડીયોલોજી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા ડોક્ટરનો આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવતા સિવિલમાં દાખલ કર્યા છે.
વડોદરામાં ૩૪ સેમ્પલમાંથી ૬ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ કેસ રામદેવનગર, છાણી, દિવાળીપુરા, ભાયલી વિસ્તારમાં નોંધાયા છે. હાલ તમામ છ દર્દી હોમ આઇસોલેશનમાં છે. કુલ ૬૧૫ કેસ નોંધાયા, ૬૦૦ દર્દી હોમ આઈસોલેશન હેઠળરાજ્યમાં ૪ જૂને ૧૧૯ કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં એટલે ૪ જૂનની સાંજ સુધીમાં કોરોનાના કુલ ૫૦૮ એક્ટિવ કેસો નોંધાયા છે. જેમાંથી ૧૮ દર્દીઓ હોસ્પિટલલાઈઝ છે અને ૪૯૦ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જ્યારે ૭૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
સોલા સિવિલ હોસ્પિટલમાં ઉપરોક્ત ૧૪ દર્દીઓ પૈકી ૧૩ મહિલાઓ હતી. તેમાંથી એક મહિલા ચાલુ સારવારમાં હોસ્પિટલમાંથી ભાગી છૂટી હતી. બાકી દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ આપવામાં આવેલ છે. વર્તમાનમાં એક મહિલા સોલા સિવિલમાં કોરોના પોઝિટિવ આવતા દાખલ છે. કોરોના પોઝિટિવ ૩ દર્દીઓએ મેડિકલ એડવાઇઝ વિરુદ્ધ ડિસ્ચાર્જ લીધું હતું. તો ૪ દિવસના બાળકને તેના પરિવારે વિનંતી કરતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં વધુ ૭ નવા કેસ નોંધાયા છે જેની સામે ૭ દર્દીઓ સ્વસ્થ થઇ જતા રજા આપી દેવામાં આવી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના ૬૮ કેસ નોંધાયા છે. જેની સામે ૨૫ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. ૪૧ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે ૨ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે.
આ સાથે ગુજરાત ૪૬૧ કેસ સાથે દેશમાં સૌથી વધુ રિપોર્ટ થયેલા કોવિડ કેસોમાં ત્રીજા નંબર છે. કેરળ ૧૩૭૩ કેસો સાથે નંબર ૧ છે, પણ ગઇકાલના પ્રમાણમાં ત્યાં ૪૩ કેસ ઓછા થયા છે. મહારાષ્ટ્રમાં આજે ૫૧૦ એક્ટિવ કેસો છે, જેમાં ૧૬ નવા છે અને દિલ્હીમાં ૪૫૭માંથી ૬૪ નવા છે.અત્યારસુધી ૩ મહિલાનાં મોત
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીને કોરોના થયો હતો. એ બાદ તેનું સારવાર દરમિયાન ગઈકાલે(૪ જૂન) મૃત્યુ થયું હતું. જેથી, અમદાવાદમાં કોરોનાને કારણે મૃત્યુ આંક વધીને ત્રણ થઈ ગયો છે.
શહેરના વિંઝોલ વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષીય ગર્ભવતી યુવતી શ્વાસોશ્વાસની તકલીફની સાથે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ૨ જૂને વહેલી સવારે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.દાણીલીમડાની ૪૭ વર્ષીય મહિલાનું મૃત્યુ ૨૮મી મેના રોજ થયું હોવા છતાં પણ ૨ જૂન સુધી સત્તાવાર રીતે મૃત્યુ થયું હોવાની માહિતી આપવામાં આવી નહોતી.
સોલા સિવિલ હોસ્પિટલમાં વાડજ વિસ્તારમાંથી એક મહિલા ગર્ભવતી હોવાથી ગાયનેક વિભાગમાં સારવાર લઈ રહી હતી. આ દરમિયાન તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેની ડિલિવરી થતા તેનું બાળક પણ કોરોના પોઝિટિવ આવ્યું હતું. મહિલાને હોસ્પિટલમાં રાખીને સારવાર આપવામાં આવી રહી હતી.પરંતુ તેની હાલત વધુ ગંભીર બનતા તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાની હાલતમાં સુધારો ન થતા તેના પરિવારે મહિલા અને બાળકને મેડિકલ સલાહ વિરુદ્ધ ડિસ્ચાર્જ કરાવ્યા હતા. તેઓ માતાજીને ત્યાં મહિલાને લઈ ગયા હતા. આ દરમિયાન મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ચાર દિવસનું બાળક હવે માતા વગરનું બન્યું છે. મળતી માહિતી મુજબ સોલા સિવિલ હોસ્પિટલમાં એક ઇન્ટર્ન ડોક્ટર પણ કોરોના પોઝિટિવ છે.