ગીર સોમનાથ, તા.ર૧
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ગીર-સોમનાથ જિલ્લાના ઉના ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનની નવી શાખાનું ભૂમિપૂજન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઉના અને શ્રી સહજાનંદ ધામનો શિલાન્યાસ સમારોહ પણ યોજાયો હતો. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં અનેક ગણમાન્ય વ્યક્તિઓ અને સંતોની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. જેમાં મુખ્યત્વે ધર્મવલ્લભદાસજી સ્વામી (સુરત ગુરુકુળ), મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી (રાજકોટ ગુરુકુળ), દેવકૃષ્ણદાસજી સ્વામી (રાજકોટ ગુરુકુળ) હાજર રહ્યા હતા. રાજકીય ક્ષેત્રેથી રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા અને કૌશિકભાઈ વેકરીયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ શિલાન્યાસ સમારોહમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ જોડાયા હતા.