અમરેલી જિલ્લાના લાઠીના હરસૂરપુર દેવળીયા થી તાલુકાના ક્રાંકચ સુધી ૫૪ કિલોમીટર વિસ્તારમાં ગાગડીયો નદી ઊંડી ઉતારવાની અને પહોળી કરવાની કામગીરી ધોળકિયા ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ચાલી રહી છે. તેને નિહાળવા જુદા જુદા ૧૩ દેશના એમ્બેસેડર અને હાઈ કમિશનર આવી પહોચ્યા હતા અને જળસંચયની કામગીરી જોઈ પ્રભાવિત થયા હતા.આ તકે પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા પણ જોડાયા હતા અને જળસંચયની કામગીરીની માહિતી આપી હતી.