ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે. ગાંધીનગરની નજીક આવેલા સંત સરોવરમાં પાણીની આવક થતાં તે ૯૪ ટકા ઉપર ભરાઈ ગયો છે. સંત સરોવરમાં ૮.૭ મિલિયન ઘન મીટર પાણીનો જથ્થો ભરાયો છે. સંત સરોવરમાં ઉપરવાસમાંથી પાણી આવવાના કારણે ગાંધીનગરથી લેકાવાડા સુધી નદીમાં ૧૧ કિ.મી. કૃÂત્રમ સરોવર સર્જાયું છે.
ગાંધીનગરથી પસાર થતી સાબરમતીમાં આ વખતે જુલાઈના અંતે નવા નીર આવ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબરમતી નદી ગાંધીનગરમાં આૅગસ્ટની શરુઆતથી જ બે કાંઠે વહી રહી છે. ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીનું પાણી સંત સરોવરમાં જમા થઈ રહ્યું છે. છેલ્લાં ઘણાં દિવસોથી સંત સરોવરમાં પાણીનો જથ્થો હાઇ ઍલર્ટ એટલે કે, ૯૦ ટકા સુધી પહોંચી ગયો છે. સંત સરોવરમાં આ સમયે પાણીની સપાટી ૫૫.૧૦ મીટર નોંધાઈ છે. હાલ, સંત સરોવરમાં ભરાયેલા પાણીનો જથ્થો ૮.૭ મિલિયન ઘન મીટર છે.લાકરોડા બેરેજમાંથી પાણી સતત ગાંધીનગરમાં સંત સરોવરમાં આવી રહ્યું છે. છેલ્લાં ઘણાં દિવસોથી એક-બે દરવાજા ખોલીને આવતાં પાણીનો ધોળેશ્વર તરફ નિકાલ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, આ વખતે પણ ધરોઈ ડેમમાંથી પાણી છોડ્યા વિના જ ગાંધીનગરની સાબરમતી નદી બે કાંઠે વહે છે.
ગાંધીનગરમાં સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલો સંત સરોવર સંપૂર્ણ ભરાઈ ગયો છે, ત્યારે લાકરોડા બેરેજમાંથી હજુ પણ વરસાદી વાતાવરણ વચ્ચે પાણીની સતત આવક થઈ રહી છે. એવામાં સંત સરોવરના બે દરવાજા ખોલીને ૨૬૦૦ ક્યુસેક પાણી નદીમાં જ છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ગાંધીનગરમાં ધોળેશ્વર તરફ પણ નદીમાં પાણીનો વહેણ ખૂબ જ ઝડપી જાવા મળી રહ્યો છે. અહીં લોકો ન્હાવા, માછલી પકડવા, ફોટા પડાવવા અને ફરવા આવી રહ્યાં છે, જે જાખમી તથા જીવલેણ પુરવાર થઈ શકે છે.