શંભુ બોર્ડર પર વિરોધ કરી રહેલા ૫૫ વર્ષીય ખેડૂતે ગુરુવારે કથિત રીતે આત્મહત્યા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેણે ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો. ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે છેલ્લા ત્રણ સપ્તાહમાં આ પ્રકારનો આ બીજા કિસ્સો છે. તરનતારન જિલ્લાના પહુવિંદના રહેવાસી રેશમ સિંહે ખેડૂતે શંભુ બોર્ડર પર આત્મહત્યા કરી હતી.
પંજાબ અને હરિયાણા વચ્ચે શંભુ બોર્ડર પર ખેડૂતો એક વર્ષથી વિરોધ કરી રહ્યા છે. તેઓ એમસીપી પર કાયદાકીય ગેરંટી સહિત અનેક માંગણીઓ કરી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું કે રેશમ સિંહને પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેમનું મૃત્યુ થયું. બીજી તરફ આજે ખનૌરી બોર્ડર પર ગીઝર ફાટવાથી એક ખેડૂત દાઝી ગયા હતા. તેને પટિયાલાના સમાનાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તેના હાથ-પગ દાઝી ગયા છે.
કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના સર્વન સિંહ પંઢેરે રેશમ સિંહની તસવીર શેર કરતા લખ્યું, “તરનતારનના પહુવિંદ ગામના ખેડૂત રેશમ સિંહે આજે શંભુ બોર્ડર પર સલ્ફાસની ગોળી લીધી. તેઓ સરકારની નીતિઓથી નારાજ હતા. આ પહેલા પણ ૧૪ ડિસેમ્બરે ખેડૂત રણજાધ સિંહે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. તે દિવસે દિલ્હી જવાની મંજૂરી ન મળવાથી નારાજ હતા. લગભગ ૪ દિવસ પછી પટિયાલાની રાજીન્દ્રા હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.
રેશમ સિંહ ૬ જાન્યુઆરીએ ખેડૂતોના એક જૂથ સાથે શંભુ બોર્ડર પહોંચ્યા હતા. રેશમ સિંહનો આખો પરિવાર ખેડૂતોના આંદોલનમાં સામેલ હતો. દિલ્હી કૂચ દરમિયાન પણ તેઓ ખેડૂતોના સમૂહ સાથે શંભુ બોર્ડર પર હાજર હતા. બીજી તરફ ખનૌરી બોર્ડર પર પણ ખેડૂતો એકઠા થયા છે. ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના ઉપવાસને ૪૦ દિવસથી વધુ સમય થઈ ગયો છે. તેની હાલત પણ બગડી રહી છે પરંતુ તે હોસ્પિટલ જવા તૈયાર નથી.
આવી માહિતી પ્રકાશમાં આવી રહી છે કે કિસાન મજદૂર સંઘર્ષ સમિતિએ આંદોલન દરમિયાન આત્મહત્યા કરનાર રેશમ સિંહના પરિવારને વળતરની માંગ કરી છે. આ ઉપરાંત પરિવારના એક સભ્યને સરકારી નોકરીની પણ માંગ છે.