ખાંભામાં ટ્રાફિકની સમસ્યા વકરતા વેપારીઓ, વાહન ચાલકો તથા રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મહેકમ કરતા ઓછો પોલીસ સ્ટાફ હોવાથી ટ્રાફિક પોલીસના અભાવે ખાંભામાં ટ્રાફિક સમસ્યા વકરી છે. મેઇન બજારમાં ટ્રાફિક કન્ટ્રોલ કરવા હોમગાર્ડને મુકેલ છે પરંતુ હોમગાર્ડથી ટ્રાફિક કંટ્રોલ થઇ શકતો નથી. અગાઉ અહીં ગાંધીચોકમાં બનાવેલ એસટી પા‹કગની વિશાળ જગ્યામાં ખાનગી વાહનો પા‹કગ કરાતા હોવાથી સતત ટ્રાફિકથી ધમધમતા ખાંભાની મેઇન બજારના ગાંધીચોકમાં રોડ પર એસટી બસો પાર્ક કરવી પડતી હોવાથી દિવસભર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે અને મોટા વાહનો ટ્રાફિકમાં ફસાતા હોવાથી સાયલેન્સરમાંથી નીકળતા ધૂમાડા અને કર્કશ હોર્નના અવાજથી વેપારીઓને હાલાકી પડી રહી છે. ત્યારે એસટી પા‹કગમાંથી ખાનગી વાહનોનો જમેલો હટાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.