કોડીનાર નજીક સોમનાથ-વેરાવળ નેશનલ હાઇવે પર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે. રેલવે ફાટક નજીક નિર્માણાધીન ઓવરબ્રિજ પરથી એક નર હરણ (ચિતલ) નીચે પટકાતા તેનું મોત નિપજ્યું છે. વન વિભાગની પ્રાથમિક તપાસ મુજબ, આશરે ૨૫-૩૦ ફૂટની ઊંચાઈ ધરાવતા આ ઓવરબ્રિજ પર હરણ આસપાસના સિમ વિસ્તારમાંથી આવ્યું હોવાનું માનવામાં આવે છે. વન વિભાગનું અનુમાન છે કે કોઈ શિકારી પ્રાણી અથવા કૂતરાઓના કારણે ભયભીત થયેલા હરણે જીવ બચાવવા ઓવરબ્રિજ પરથી કૂદકો મારતા આ દુર્ઘટના સર્જાઈ હોઈ શકે છે.