કોડીનાર તાલુકાના “ગોહિલની ખાણ” ગામની દક્ષિણામૂર્તિ સોસાયટી ખાતે દક્ષિણેશ્વર મહાદેવ મંદિરના મેદાનમાં ગરબી મંડળ દ્વારા આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિજેના તાલે રોજ રાત્રે નવથી બાર વાગ્યા સુધી ભાઇઓ અને બહેનોના અલગ અલગ ગ્રુપ દ્વારા રાસ-ગરબાની રમઝટ કરી હતી. આ ઉપરાંત દશેરાના દિવસે માતાજીના હોમાત્મક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.