બાબરાના કોટડાપીઠા ગામે પ્રભારી સી. પી. સરવૈયા તેમજ ઋત્વીકભાઈ ગોહિલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં બુથવાઈઝ લોકસંપર્ક તેમજ થયેલ વિકાસના કામોની કાર્યકરો સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે બાબરા ભાજપ પ્રમુખ અશોકભાઈ રાખોલીયા, મહામંત્રી રાકેશભાઈ વિરોજા, હિતેષભાઈ કલકણી, સરપંચ ગોરધનભાઈ વાઢેર, વિરેન્દ્રભાઈ, દિલીપભાઈ કલકાણી, ઘનશ્યામભાઈ રોકડીયા, જીવનભાઈ ચોવટીયા, વીનુભાઈ ડોબરીયા, વીનુભાઈ મકવાણા, વીનુભાઈ કલકાણી વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.