ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પક્ષોને મળેલા દાનના આંકડા દર્શાવે છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ હતી. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા ઇન્ચાર્જ અનુરાગ ઢાંડાએ કહ્યું કે દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાંઠગાંઠ હતી. કોંગ્રેસને ૪૪ કરોડ રૂપિયા રોકડા દાન મળ્યા. જ્યારે તેનું કોઈ અસ્તીત્વ નહોતું અને તે સર્વેમાં કોઈ બેઠક જીતી રહી નહોતી. છતાં તેને ૪૪ કરોડ રૂપિયા રોકડા કોણે આપ્યા?
મુખ્ય સ્પર્ધા આપ અને ભાજપ વચ્ચે હતી, ત્યારે પણ આપને ફક્ત ૨ હજાર રૂપિયા રોકડા મળ્યા હતા અને ભાજપને એક પણ રૂપિયો મળ્યો ન હતો. કોંગ્રેસને મળેલા ૪૪ કરોડ રૂપિયા રોકડા પર ભાજપની તપાસ એજન્સીઓનું મૌન સ્પષ્ટ કરે છે કે આ પૈસાનો ઉપયોગ ચૂંટણીમાં આપના મોટા નેતાઓને હરાવવા માટે કરવામાં આવ્યો હતો.
આપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અનુરાગ ઢાંડાએ પાર્ટી મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન વારંવાર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો હતો કે શું કોંગ્રેસે ભાજપ સાથે મળીને દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી હતી. ઘણા આપ નેતાઓ અને લોકોએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ આપના મોટા નેતાઓની બેઠકોને નિશાન બનાવીને કોંગ્રેસને નાણાં પૂરા પાડી રહી છે. ભાજપ દ્વારા કોંગ્રેસને પૈસા પૂરા પાડવામાં આવી રહ્યા હતા, જેથી મતોનું વિભાજન કરીને ભાજપને ફાયદો થઈ શકે.
અનુરાગ ઢાંડાએ કહ્યું કે ચૂંટણી પછી, તમામ પક્ષોએ ચૂંટણી પંચને દસ્તાવેજા સબમિટ કર્યા હતા, જેમાં ચૂંટણી દરમિયાન તેમના ખર્ચ અને દાનની વિગતો હતી. આ દસ્તાવેજામાં ખૂબ જ આશ્ચર્યજનક આંકડા પ્રકાશમાં આવ્યા છે, જે આ દાવાને વધુ મજબૂત બનાવે છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપના ઈશારે કામ કરી રહી હતી?
તેમણે કહ્યું કે બધા જાણે છે કે દિલ્હીમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને આપ વચ્ચે હતી. કોઈ સર્વે કે વ્યક્તિ એવું કહી રહ્યું નથી કે કોંગ્રેસનું ક્યાંય કોઈ અસ્તીત્વ છે કે તે કોઈપણ બેઠક મેળવી શકે છે. બધા સર્વે બતાવી રહ્યા હતા કે કોંગ્રેસને શૂન્ય બેઠકો મળી રહી છે. આમ છતાં, દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન, દિલ્હીમાં સરકાર ચલાવી રહેલી આપને માત્ર ૨,૦૦૦ રૂપિયા રોકડા મળ્યા અને કેન્દ્રમાં સરકાર ચલાવી રહેલી ભાજપને પણ રોકડા દાન મળ્યું નહીં. પરંતુ દિલ્હીમાં કોઈ અસ્તીત્વ ન હોવા છતાં અને સર્વેમાં એક પણ બેઠક જીતવાની કોઈ આશા ન હોવા છતાં, કોંગ્રેસને ૪૪ કરોડ રૂપિયા રોકડા દાન મળ્યા.
અનુરાગ ઢાંડાએ પૂછ્યું કે કોંગ્રેસને આ ૪૪ કરોડ રૂપિયા કોણે આપ્યા? કોંગ્રેસ દિલ્હીમાં કંઈક કરશે તેવી કોણે અપેક્ષા રાખી હતી, જ્યારે તેની કોઈ સર્વેમાં હાજરી નહોતી. કોંગ્રેસ પણ જમીન પર ક્યાંય દેખાતી નહોતી. તો પછી ચૂંટણી દરમિયાન કોંગ્રેસને આ ૪૪ કરોડ રોકડા કોણે આપ્યા? દિલ્હીમાં આપ સત્તામાં હતી અને મુખ્ય હરીફાઈમાં હતી. છતાં, કોંગ્રેસને આપ કરતા ચાર ગણા વધુ પૈસા મળ્યા, જેમાંથી મોટાભાગના રોકડામાં હતા.
તેમણે કહ્યું કે ગત ચૂંટણીમાં પણ કોંગ્રેસને મળેલું દાન કોંગ્રેસને મળેલા દાન કરતા ૪૪ કરોડ વધુ હતું. રોકડામાં મળેલા આ ૪૪ કરોડ કોંગ્રેસના ઈરાદા, ચૂંટણી લડવાની તેમની રીત અને ભાજપ સાથેના જાડાણ પર મોટો પ્રશ્નાર્થ ચિન્હ ઉભા કરે છે.
અનુરાગ ઢાંડાએ કહ્યું કે જા કોઈ આમ આદમી પાર્ટીને દાન આપે છે, પછી ભલે તે રોકડામાં હોય કે અન્ય કોઈ સ્વરૂપમાં, તો ભાજપ તરત જ આવકવેરા કે ઈડ્ઢ જેવી એજન્સીઓ તેમની પાછળ મોકલે છે. પરંતુ કોંગ્રેસને ૪૪ કરોડ રોકડા મળ્યા અને એવા કોઈ સમાચાર નથી કે કોઈને આવકવેરાની નોટિસ મળી હોય, કોઈ પકડાયું હોય કે કોઈ એજન્સી તેમની પાછળ ગઈ હોય. આ દર્શાવે છે કે ક્યાંક ભાજપ અને કોંગ્રેસની સાઠગાંઠ હતી.
અનુરાગ ઢાંડાએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થયો અને ભારતીય સેનાએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. જ્યારે ભાજપને યુદ્ધવિરામ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા, ત્યારે કોંગ્રેસ ભાજપને બચાવવા આગળ આવી અને વાહિયાત નિવેદનો આપીને ભાજપને ફાયદો કરાવ્યો. દિલ્હીની ચૂંટણી દરમિયાન કોંગ્રેસે પણ આવું જ કર્યું. આનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મજબૂત જુગલબંધી ચાલી રહી છે. અનુરાગ ઢાંડાએ કહ્યું કે કોંગ્રેસ ભાજપને વિવિધ રાજ્યોમાં ચૂંટણી જીતવામાં મદદ કરે છે. અને બદલામાં ભાજપ અને મોદીજી ગાંધી પરિવારને જેલમાં જવાથી બચાવે છે. પછી ભલે તે દિલ્હીના કોમનવેલ્થ કૌભાંડમાં ક્લીન ચીટ આપવાનું હોય કે જી૨ કૌભાંડમાં ક્લીન ચીટ આપવાનું હોય.