કુંકાવાવ તાલુકાના નાજાપુર ગામે મેડિકલ સાધન સેવા સહાય સેન્ટરનો પ્રારભ કરવામાં આવ્યો હતો. સમાજમાં શારીરિક બિમારીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, તેવા સમયે ગ્રામીણ લોકોને સ્થાનિક લેવલે જરૂરી સગવડો મળી રહે, તેવી ભાવનાથી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા, બગસરાના વતની હિતેશભાઈ પ્રવીણચંદ્ર દેસાઈ પરિવાર મુંબઈના આર્થિક સહયોગથી સ્વ.વસુમતીબેન પ્રવીણચંદ્ર દેસાઈના સ્મરણાર્થે, અન્નપૂર્ણા મિત્ર મંડળ નાજાપુર દ્વારા તા.૨૭ જાન્યુઆરીના રોજ, એક વિનામૂલ્યે મેડિકલ સાધન સહાય સેન્ટરનો શુભારંભ કરવામાં આવેલ છે, જેમાં અલગ અલગ ૧૪ પ્રકારના સાધનો લોકોની સેવાર્થે રાખવામાં આવેલ છે. અંતરીયાળ ગામમાં આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે, ગામના સેવાભાવી નાગરિકો અને ગામની પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય મધુભાઈ ભુવાએ જહેમત ઊઠાવી હતી,








































