ગુજરાતમાં કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. જેમાં આગામી ૧૯ જૂનના રોજ આ ચૂંટણી યોજાશે. જાકે આ ચૂંટણી પહેલા જૂનાગઢ વિસાવદરમાં મામલો ગરમાયેલો જાવા મળી રહ્યો છે. કારણ કે હવે તો અહીંયા સાધુ સંતો મેદાનમાં ઉતર્યા છે. જેમાં સાધુ સંતોએ ગોપાલ ઈટાલિયા સામે રોષ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને મહેશગીરી બાપુ દ્વારા ગોપાલ ઈટાલિયા સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. મહેશગીરી બાપુ ભૂતનાથ મંદિર અને રાણપુર રામેશ્વર મહાદેવ મંદિરના મહંત છે.
ગોપાલ ઈટાલિયા દ્વારા સનાતન ધર્મ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને સંત સમાજમાં હાલ આક્રોશનો માહોલ ફેલાયેલો છે. મહેશગીરી બાપુ દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું કે ગોપાલ ઈટાલિયાએ કથાઓમાં જનાર માતા બહેનોને નાચવા વાળા કહ્યા છે. જેથી તેમણે ગોપાલ ઈટાલિયાને સનાતન ધર્મ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ ગણાવ્યા છે.
મહેશગીરી બાપુ દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું કે ધર્મ છે તો આપણે છીએ તે વાતની ગોપાલ ઈટાલિયાને ખબર હોવી જાઈએ. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે કંસ અને રાવણ જેમ ધર્મના વિરોધમાં હતા તેમ ગોપાલ ઈટાલિયા સનાતન ધર્મનો વિરોધી છે. સમગ્ર મામલે મહેશગીરી બાપુએ ગોપાલ ઈટાલિયાને અનુલક્ષીને કહ્યું કે, “બધા આગળ આવો અને આવા લોકોને ભગાડો.”
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે મહેશગીરી બાપુ દ્વારા ગામના લોકોને જણાવવામાં આવ્યું છે કે ગોપાલ ઈટાલિયાને ગામમાં ઘૂસવા દેવામાં ન આવે. સાથે જ તેમણે એવું પણ કહ્યું કે ગોપાલ ઈટાલિયા મંદિરમાં કથાઓ બંધ કરવા માગે છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. જેથી કહી શકાય કે વિસાવદરમાં ચૂંટણી પહેલા હાલ ગોપાલ ઈટાલિયા અને સંત સમાજ વચ્ચે મામલો ગરમાયેલો છે.