કમોસમી વરસાદને કારણે અમરેલી જિલ્લામાં વેપારી આલમમાં ધંધા રોજગારમાં મંદીનો માહોલ હોવાથી ભારે નુકસાન જવાની ૫રિસ્થિતિ ઉભી થતા વેપારીભાઇઓમાં નિરાશાનો માહોલ છવાયો છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા હોય અને વેપાર-ધંધામાં કોઇ૫ણ પ્રકારની ઘરાકી આવેલ ન હોવાથી ભારે નુકસાન વેઠવું પડી શકે છે. જેથી વેપાર-ધંધાને લગતા ટેક્સમાં ગુજરાત સરકાર દ્વારા વેપારી આલમને રાહત આ૫વામાં આવે તેમ અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના ઉ૫પ્રમુખ મુન્નાભાઇ મલકાણ તથા મુકેશભાઇ રૂપારેલીયા દ્વારા માંગ કરવામાં આવી છે.