ઉના શહેરમાં શાહ એચ.ડી. હાઇસ્કૂલના વિશાળ ગ્રાઉન્ડમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા વિજયાદશમી પર્વ દશેરાના દિવસે રાત્રે રાવણ રૂપી રાક્ષસના પૂતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાવણ રૂપી રાક્ષસના પૂતળા દહન પહેલા ફટાકડાની આતશબાજી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ નિહાળવા ઉના તાલુકા તથા ઉના શહેરની જનમેદની હજારોની સંખ્યામાં ઉમટી પડી હતી. આ ભવ્ય આયોજનમાં સંત શિરોમણી પંચ અગ્નિ અખાડાના સભાપતિ સંત મુક્તાનંદજી બાપુએ પધારી આશીર્વચન આપ્યા હતા. ઉના પીઆઇ, પીએસઆઈ સહિત પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.