દેશના મોટા ઉદ્યોગપતિ અને ઇન્ફોસિસના સહ-સ્થાપક અને સીઇઓ નારાયણ મૂર્તિ અને તેમના પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે ઇન્ફોસિસના શેર લગભગ ૬ ટકા ઘટ્યા હતા. આનાથી માત્ર અન્ય આઇટી કંપનીઓને જ ફટકો પડ્યો નહીં પરંતુ મૂર્તિ પરિવારની સંપત્તિને પણ ભારે નુકસાન થયું.
નારાયણ મૂર્તિ ઇન્ફોસિસમાં ૦.૪૦ ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે તેમની પત્ની સુધા એન મૂર્તિ કંપનીમાં ૦.૯૨ ટકા હિસ્સો ધરાવે છે. તે જ સમયે, તેમના પુત્ર રોહન મૂર્તિ અને પુત્રી અક્ષતા મૂર્તિ પાસે અનુક્રમે ૧.૬૨ ટકા અને ૧.૦૪ ટકા હિસ્સો છે. આ ઉપરાંત પૌત્ર એકાગ્ર રોહન મૂર્તિનો પણ ઇન્ફોસિસમાં ૦.૦૪ ટકા હિસ્સો છે.
આ રીતે, મૂર્તિ પરિવારના પાંચ સભ્યોનો ઇન્ફોસિસમાં કુલ ૪.૦૨ ટકા હિસ્સો છે. આજે શેરમાં ઘટાડા પછી, તેનું મૂલ્ય લગભગ ૩૦,૩૦૦ કરોડ રૂપિયા રહ્યું. જ્યારે ગુરુવારે તે ૩૨,૧૫૨ કરોડ રૂપિયા હતું. એટલે કે તેમની સંપત્તિમાં એક દિવસમાં ૧૮૫૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ઇન્ફોસિસના શેરમાં આ ઘટાડો એવા સમયે થયો છે જ્યારે કંપનીના ત્રીજા ક્વાર્ટરના પરિણામો ઘણા મોરચે અપેક્ષા કરતા સારા હતા. નિષ્ણાતો કહે છે કે ઇન્ફોસિસના મુખ્ય આંકડા મજબૂત હતા. ત્રિમાસિક ગાળામાં આવકમાં ૧.૭ ટકાનો વધારો થયો, જે અપેક્ષા કરતાં વધુ હતો. જાકે, તેના મૂળ પાયા એટલા મજબૂત નહોતા.
ત્રીજા ક્વાર્ટરમાં વર્ષ-દર-વર્ષના સારા પ્રદર્શન અને આવકના અંદાજ છતાં, ઇન્ફોસિસના શેરમાં ઘટાડાનું સૌથી મોટું કારણ ચોથા ક્વાર્ટરમાં સંભવિત મંદી હોવાનું માનવામાં આવે છે. એમ્કે ગ્લોબલ ફાઇનાÂન્શયલ સર્વિસીસે ત્રીજા ક્વાર્ટરના પ્રદર્શનના આધારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૭ માટે તેના શેર દીઠ કમાણીના અનુમાનમાં ૧% કરતા ઓછો ફેરફાર કર્યો છે. શુક્રવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજારમાં મોટી વેચવાલી જાવા મળી. બજારના તમામ મુખ્ય સૂચકાંકો લાલ રંગમાં બંધ થયા છે. ટ્રેડિંગના અંતે, સેન્સેક્સ ૪૨૩.૪૯ પોઈન્ટ અથવા ૦.૫૫ ટકા ઘટીને ૭૬,૬૧૯.૩૩ પર અને નિફ્ટી ૧૦૮.૬૦ પોઈન્ટ અથવા ૦.૪૭ ટકા ઘટીને ૨૩,૨૦૩.૨૦ પર બંધ રહ્યો હતો.
સેન્સેક્સમાં ઝોમેટો, નેસ્લે ઇÂન્ડયા, એશિયન પેઇન્ટ્સ, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ, એલ એન્ડ ટી, આઇટીસી, સન ફાર્મા, ટાઇટન, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, મારુતિ સુઝુકી અને એનટીપીસી સૌથી વધુ વધ્યા હતા. તે જ સમયે, ઇન્ફોસિસ, એÂક્સસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એમ એન્ડ એમ, આઇસીઆઇસીઆઇ બેંક, ટીસીએસ અને ટેક મહિન્દ્રા સૌથી વધુ ઘટ્યા હતા.