આરએસએસનાં સર સંચાલક મોહન ભાગવત અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદનાં અધ્યક્ષ ડો.પ્રવિણ તોગડીયા વચ્ચે નાગપુર ખાતે હિન્દુ પર થઈ રહેલા અત્યાચારો અને હિન્દુ સુરક્ષાના વિષયો પર મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન દુનિયાભરમાં હિન્દુઓની સ્થિતિ, ભારતમાં વધી રહેલી મુસ્લીમોની જનસંખ્યા, બાંગ્લાદેશનાં ઘુસણખોરોની સમસ્યા, બધા હિન્દુઓએ એક થવું જાઈએ તો જ બચી શકીશું અને બધી જ હિન્દુ શકિતને એકસાથે આવવા આહવાન પણ કરાયું હતું. તમામ હિન્દુ સંગઠનોને સાથે લઈને કામ કરવાની પણ ચર્ચાઓ થઈ હતી. ડો. પ્રવિણ તોગડીયા અને મોહન ભાગવતની બેઠકથી આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને વિશ્વ હિન્દુ પરિષદનું વિલીનીકરણ લગભગ નક્કી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.