રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમ તબક્કા આઠ અન્વયે શહેરના તમામ ૧૧ વોર્ડના લોકો માટે ‘સરકાર તમારે દ્વાર’ હેઠળ સ્થળ પર જ અરજીનો નિકાલ કરવા જિલ્લા વહિવટી તંત્ર અને અમરેલી નગરપાલિકા દ્વારા તા.૬ ઓગસ્ટના રોજ પાલિકા કચેરી ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં સવારે ૯ થી બપોરના ર સુધી અરજી સ્વીકારાશે અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં અરજીનો નિકાલ કરાશે. આ સેવાસેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરૂ, દિવ્યાંગ પ્રમાણપત્ર, નવા વીજ જાડાણ, લ‹નગ લાયસન્સ, ૭/૧ર, ૮-અના દાખલા, આવકના દાખલા, વિધવા સહાય સહિતની યોજનાઓની સ્થળ પર અરજી લઈ નિકાલ કરવામાં આવશે. આ કાર્યક્રમનો બહોળી સંખ્યામાં લાભાર્થીઓને લાભ લેવા પ્રમુખ મનિષાબેન રામાણી અને ચિફ ઓફિસર એચ.કે. પટેલ દ્વારા અનુરોધ કરાયો છે.