૨૨ મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્‌સની ટીમ ગુજરાત ટાઇટન્સ સામે રમવા માટે મેદાનમાં ઉતરી ત્યારે સ્પિનર દિગ્વેશ રાઠીનું નામ તેમના પ્લેઇંગ ૧૧માં સામેલ નહોતું. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં વિકેટની ઉજવણી કરવા બદલ દિગ્વેશને ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવ્યો હતો, જેના કારણે તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ તેમ છતાં, ગુજરાત સામેની મેચમાં લખનૌ ટીમના બોલરો પર તેની અસર બિલકુલ જાવા મળી ન હતી. જ્યારે દિગ્વેશની જગ્યાએ આ મેચમાં રમી રહેલા આકાશ સિંહે જાસ બટલરની વિકેટ લીધી, ત્યારે તેણે દિગ્વેશ રાઠીની શૈલીમાં જ તેની ઉજવણી કરી.
આ મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમને ૨૩૬ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જેનો પીછો કરતી વખતે તેમણે ૯.૨ ઓવરમાં ૨ વિકેટ ગુમાવીને ૯૬ રન બનાવી લીધા હતા. લખનૌના ડાબા હાથના ઝડપી બોલર આકાશ સિંહ દ્વારા વિકેટની આસપાસ ફેંકવામાં આવેલ આ જ ઓવરનો ત્રીજા બોલ ધીમો હતો અને જાસ બટલરે તેને સમજવાની ભૂલ કરી અને બોલ સીધો સ્ટમ્પ પર વાગ્યો. બટલરની મહત્વપૂર્ણ વિકેટ લીધા પછી, આકાશ સિંહે દિગ્વેશ રાઠીની સિગ્નેચર સ્ટાઇલમાં પેવેલિયન તરફ ઈશારો કરીને ઉજવણી કરી. આઈપીએલ ૨૦૨૫ સીઝનમાં શાનદાર ફોર્મમાં દેખાડનાર બટલર આ મેચમાં ૧૮ બોલમાં ૩૩ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં આકાશ સિંહે ૩.૧ ઓવરની બોલિંગમાં ૨૯ રન આપીને એક વિકેટ લીધી હતી.
શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ રમી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમે આઇપીએલ ૨૦૨૫ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. લખનૌ સામેની મેચ પહેલા જ ગુજરાતે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું, પરંતુ લીગ સ્ટેજમાં અત્યાર સુધી રમાયેલી ૧૩ મેચોમાંથી ૯ મેચોમાં તેમણે જીત મેળવી છે. હવે જા તેઓ ટોપ-૨ માં સ્થાન મેળવવા માંગતા હોય, તો તેમણે છેલ્લી લીગ મેચ જીતવાનો પ્રયાસ કરવો પડશે. ગુજરાત ટાઇટન્સ લીગ સ્ટેજની પોતાની છેલ્લી મેચ ૨૫ મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે.