આઈએસટીઆરસીબી ટીમે ક્વોલિફાયર-૧માં પંજાબ કિંગ્સને ૮ વિકેટથી હરાવીને સીધા ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. આરસીબી હવે ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ્યું છે. તે છેલ્લી ત્રણ ફાઇનલમાં હારી ગયું છે. આરસીબી હવે ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ્યું છે. આઇપીએલના ઇતિહાસમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સૌથી વધુ વખત આઇપીએલ ફાઇનલ હારી ચૂકી છે. સીએસકે અત્યાર સુધીમાં કુલ ૧૦ વખત આઇપીએલ ફાઇનલમાં પહોંચી છે, જેમાંથી તે પાંચ વખત (૨૦૦૮, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫, ૨૦૧૯) હારી ચૂકી છે.
આરસીબી સૌથી વધુ આઇપીએલ ફાઇનલ હારવામાં બીજા ક્રમે છે, ટીમ અત્યાર સુધીમાં કુલ ત્રણ આઇપીએલ ફાઇનલ હારી ચૂકી છે. આમાં ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૬ ની ફાઇનલનો સમાવેશ થાય છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ બે વાર આઇપીએલ ફાઇનલમાં હારી ગયું છે. એક વાર આઇપીએલ ૨૦૧૮ ની ફાઇનલમાં અને એક વાર આઇપીએલ ૨૦૨૪ ની ફાઇનલમાં.
દિલ્હી કેપિટલ્સ આઇપીએલ ૨૦૨૦ ની ફાઇનલ મેચ મુંબઈ ઇન્ડિયન્સ સામે ૫ વિકેટથી હારી ગઈ. દિલ્હી કેપિટલ્સ ટીમ ફક્ત એક જ ફાઇનલ મેચ હારી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ આઇપીએલ ૨૦૨૧ ની ફાઇનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ૨૭ રનથી હારી ગયું. મુંબઈ ઇન્ડિયન્સ ટીમ આઇપીએલના ઇતિહાસમાં ફક્ત એક જ ફાઇનલ હારી છે. મુંબઈ આઇપીએલ ૨૦૧૦ ની ફાઇનલ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ૨૨ રનથી હારી ગયું.
પંજાબ કિંગ્સ ટીમ આઇપીએલ ના ઇતિહાસમાં ફક્ત એક જ ફાઇનલ હારી છે.આઇપીએલ ૨૦૧૪ ની ફાઇનલમાં, પંજાબ ટીમને કેકેઆર સામે ૩ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સને આઇપીએલ ૨૦૧૭ ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે એક રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.રાજસ્થાન રોયલ્સ ટીમને આઇપીએલ ૨૦૨૨ ની ફાઇનલ મેચ ગુજરાત ટાઇટન્સ સામે ૭ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ટાઇટન્સ ટીમને આઇપીએલ ૨૦૨૩ ની ફાઇનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ૫ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.