અમરેલીના લાઠી રોડ પર આવેલ શ્રીજી વિદ્યાર્થી ભુવન ખાતે ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના દરેક ધોરણના બાળકોએ વર્ષ દરમિયાન કરેલ અનેક
પ્રવૃત્તિઓ જેવી કે સ્વયં શિક્ષણ, રમત – ગમત સ્પર્ધા, લેખન સ્પર્ધા વગેરેમાં ઇનામો મેળવેલ વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ધો.૧૦ અને ૧રના વિદ્યાર્થીઓએ પણ સંસ્થાને સ્માર્ટ ટીવી, ઘડિયાળ વગેરે ગુરૂદક્ષિણા આપી કૃતાર્થ થયા હતાં. આ પ્રસંગે શાળા સંચાલક દિપકભાઇ વઘાસીયા તથા વિલાસબેન વઘાસીયાએ હાજરી આપી હતી.