અમરેલી શહેર ભાજપ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તા. ૯ થી ૧પ ઓગષ્ટ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આજરોજ તે અંગે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવેશભાઇ સોઢા, રાજેશ માંગરોળીયા, ભરતભાઇ મકવાણા, નરેન્દ્રસિંહ પરમાર, અલ્પેશ અગ્રાવત, ફાલ્ગુનીબેન પંચોલી, અર્જુનભાઇ દવે, જતિનભાઇ સાવલીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.