રઘુવંશી સમાજના આગેવાન મનુભાઇ મીરાણી દ્વારા છેલ્લા ર૧ વર્ષથી લોહાણા સમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે મનુભાઇ મીરાણીના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૧પ-મેના રોજ અમરેલી ખાતે રઘુવંશી યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી રઘુવંશી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. માતુશ્રી અંબાબેન નરસીદાસ સોઢા, લોહાણા મહાજન વાડી, લાઠી બાયપાસ રોડ ખાતે આ પરિચય મેળો યોજાશે. જેમાં ભાગ લેવા માટે ફોર્મ ભરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. વધુ માહિતી મેળવવા માટે જીતુભાઇ સોમૈયા મો. ૯૪ર૬૭ ૩પ૧ર૭, સતીષભાઇ આડતીયા મો. ૯૮૭૯૦ ૬૯૭૭૯, ભાવેશભાઇ સોઢા મો. ૯૯૦૪૭ પ૬૯પ૬, રોમીલભાઇ ગઢીયા મો. ૭૦૧૬૬ ૪પ૮૯પનો સંપર્ક કરવા મનુભાઇ મીરાણીની યાદીમાં જણાવાયું છે.