અમરેલી જિલ્લા રઘુવીર સેના દ્વારા દશેરાના દિવસે જિલ્લાભરના રઘુવંશી સમાજ માટે શસ્ત્ર પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર અને જિલ્લાભરના રઘુવંશીઓએ હાજરી આપી શસ્ત્ર પૂજાનો અવસર ઉજવ્યો હતો. રઘુવંશી સમાજના ભૂદેવ જયદેવદાદાએ તમામ રઘુવંશી ભાઈઓને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજા કરાવી. આ દરમિયાન જિલ્લા રઘુવંશી સેનાના ઉપપ્રમુખ પ્રિતેશભાઈ માનસેતાએ શસ્ત્ર પૂજાનું મહત્વ સમજાવ્યું હતું તથા વિશાલભાઈએ ઉપસ્થિત તમામ રઘુવંશી ભાઈઓનું સ્વાગત કર્યું અને વ્યવસ્થા સંભાળી હતી. કાર્યક્રમને સફળ બનાવવા રઘુવીર સેનાના અનેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમ દ્વારા રઘુવંશી સમાજની એકતા અને સાંસ્કૃતિક વારસાને જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રઘુવીર સેનાના નેતાઓએ સમાજને સંગઠિત રહેવા અને પોતાના અધિકારો માટે જાગૃત રહેવા અપીલ કરી હતી.