અમરેલી,તા.ર૧
અમરેલી જિલ્લાનાં કલેકટર દ્વારા આગામી તા.ર૮ ઓકટોબર, ર૦ર૪ને સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાઠી તાલુકાના દુધાળા અને લાઠી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થત થવા આવવાના હોવાને લીધે ટ્રાફિક સમસ્યાને કારણે વાહન ચાલકોને વૈકલ્પક રુટ પરથી પસાર થવા અંગે જાહેરનામુ પ્રસિધ્ધ કર્યુ છે. જેથી વાહન ચાલકોને પસાર થવા માટે વૈકલ્પક રુટ પરથી પસાર થવા, અમરેલીથી વાયા લાઠી થઈ ચાવંડ જતા તમામ વાહનો વાયા લાઠી ભીડભંજન મહાદેવ થઈ ગાગડીયા સર્કલ લાઠી-લાઠી ચાવંડ દરવાજા થઈ રામપર-નાના રાજકોટ થઈ કરકોલીયા થઈ ચાવંડ થઈ જવા તેમજ ચાવંડથી લાઠી થઈ અમરેલી તરફ આવતા વાહનચાલકોએ વાયા કરકોલીયા થઈ નાના રાજકોટ-રામપર-લાઠી ચાવંડ દરવાજા-લાઠી ગાગડીયા સર્કલથી ભીડભંજન મહાદેવ થઈ લાઠી – અમરેલી રોડ પરથી પસાર થવા વાહનચાલકોને વિનંતી કરી જેથી તે દરમ્યાન ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય. આ જાહેરનામું તા.ર૮/૧૦/ર૦ર૪ના રોજ સવારે ૯ઃ૦૦ કલાકથી સાંજે ૭ઃ૦૦ કલાક સુધી અમલી રહેશે.