જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલ, ડીઝલ, એલપીજી, પીએનજી, ખાદ્ય અનાજ અને ખાતર સહિતની તમામ આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જિલ્લા વહીવટી તંત્રએ જણાવ્યું છે. તમામ ચીજવસ્તુઓની સપ્લાય ચેઇન અને ઉપલબ્ધતાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે.જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમોમાં ફેલાતી ખોટી અફવાઓ અને ભ્રામક માહિતી પર વિશ્વાસ ન રાખે. બિનજરૂરી ભીડ કરવી કે ગભરાટમાં આવીને ખરીદી (પેનિક બાયિંગ) કરવાથી દૂર રહેવું જોઈએ.તંત્રએ વધુમાં ચેતવણી આપી છે કે કોઈપણ વેપારી દ્વારા સંગ્રહખોરી, કાળાબજારી અથવા નિયત ભાવ કરતાં વધુ વસૂલી કરવામાં આવશે તો તેમના સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.