અમરેલી જિલ્લામાં બે દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.અમરેલી જિલ્લાના ખેડૂતો છેલ્લાં ૭ મહિનાથી કુદરતી આફતોનો સામનો કરી રહ્યાં છે. બે દિવસ પહેલા પડેલા કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને ભારે અસર થઈ છે તો સાથે માછીમારોને પણ ખુબજ નુકસાન થયુ છે. કમોસમી વરસાદને કારણે મચ્છીઓ બગડી જતા માછીમારોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અમરેલી જિલ્લામાં ખેડૂતો વારંવાર કુદરતી આફતનો ભોગ બની રહ્યાં હોવાથી ખેડૂતોની નુકસાનીનો સર્વે કરી વળતર ચુકવવામાં આવે તેવી મનિષ સંઘાણીએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.