ખોડલધામ પાર્ટી પ્લોટ ચક્કરગઢ રોડ ખાતે નવરાત્રીનું ભવ્ય આયોજન
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત નવરાત્રી મહોત્સવનાં આયોજનની બેઠક મળી
ગુજરાતનાં દરેક જિલ્લામાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત અમરેલી જિલ્લામાં પણ નવરાત્રીનું ભવ્ય આયોજન ખોડલધામ પાર્ટી પ્લોટ ચક્કરગઢ રોડ ખાતે કરવામાં આવ્યું છે. જેના આયોજનની બેઠક સાથે જ અમરેલી લોકસભા વિસ્તારનાં નવનિયુકત સાંસદ ભરતભાઈ સુતરીયાને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ દાદા ભગવાન મંદિર, લીલીયા રોડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં આવેલા મહેમાનોનું શબ્દોથી સ્વાગત મુકેશભાઈ લીંબાસીયાએ કર્યું હતું. નવરાત્રીના આયોજન અંગેની માહિતી જિલ્લા કન્વીનર સુરેશભાઈ દેસાઈએ આપી હતી. લેઉવા પટેલ ચેરિ. ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઈ ભુવા અને મહિલા સમિતિના કન્વીનર સરલાબેન ગજેરાએ નવરાત્રીને ભવ્ય રીતે ઉજવવા આહ્વાન કર્યું હતું. આ તકે નવરાત્રીના આયોજનમાં સમાજનાં શ્રેષ્ઠીઓએ દાનનો ધોધ વહાવ્યો હતો. સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ ભરતભાઈ સુતરીયાએ નવરાત્રી મહોત્સવની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં વસંતભાઈ મોવલીયા, કાળુભાઈ ભંડેરી, રમેશભાઈ કાથરોટીયા, અશ્વિનભાઈ સાવલીયા, મનિષભાઈ સંઘાણી, મેહુલભાઈ ધોરાજીયા, વિઠ્ઠલભાઈ બાંભરોલીયા, ભુપતભાઈ ભુવા, કાળુભાઈ સુહાગીયા, ચતુરભાઈ ખુંટ, નંદલાલભાઈ ભડકણ, વિજયભાઈ દેસાઈ, વિપુલભાઈ દુધાત, જે.ડી. સાવલીયા, ઘનશ્યામભાઈ સોરઠીયા, રાજુભાઈ ગઢીયા, સહજાનંદભાઈ સખરેલીયા, દયાળભાઈ સંઘાણી, નાથાભાઈ ભંડેરી, અરજણભાઈ કોરાટ, ગોપાલભાઈ કચ્છી, જયસુખભાઈ મોણપરા, રીધેશભાઈ નાકરાણી, કેતનભાઈ ભાલાળા, અશ્વિનભાઈ ધાનાણી, અશોકભાઈ માંગરોળીયા, નરેશભાઈ સાકરીયા, રામભાઈ ગજેરા, દિલીપભાઈ દેસાઈ, વસંતભાઈ પોકળ, મુળજીભાઈ પાનેલીયા, કેતનભાઈ ઢાંકેચા, મુકેશભાઈ રાદડીયા, રાકેશભાઈ નાકરાણી, કે.બી. ગોંડલીયા, નિલેશભાઈ મુલાણી, ચંદુભાઈ સાવલીયા, કેતનભાઈ કાબરીયા, મહેશભાઈ કથીરીયા, ભરતભાઈ પાનસુરીયા, સરલાબેન ગજેરા, ભાવનાબેન ગોંડલીયા, હંસાબેન મકાણી સહિત મોટી સંખ્યામાં સમાજના દાતાઓ, અગ્રણીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં. આભારવિધિ ગણપતભાઈ સેંજલીયાએ કરી હતી અને કાર્યક્રમનું સંચાલન કેતનભાઈ કાનપરીયાએ કર્યું હતું.