કડવા પટેલ કેળવણી મંડળ-અમરેલી દ્વારા કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં
તા. ૭-ઓગષ્ટના રોજ અમરેલી ખાતે કડવા પટેલ બોર્ડિંગના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ‘જૂના સંભારણા’ કાર્યક્રમ યોજાનાર છે. સાંજે ૪ કલાકે કડવા પટેલ સમાજ, હનુમાનપરા રોડ, અમરેલી ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ તકે કેન્દ્રીય મંત્રીનું સમગ્ર કડવા પટેલ સમાજ વતી જ્ઞાતિરત્નનું બિરૂદ આપી ભવ્ય સન્માન કરવામાં આવશે. આ સાથે દેશ-વિદેશમાં રહેતા ૭૦૦ થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું શિલ્ડ આપી સન્માન કરાશે. ‘હર ઘર તિરંગા’ અંતર્ગત દરેક પરિવારને રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે.આ તકે કડવા પટેલ સમાજના પરિવારોને સહપરિવાર ઉપસ્થિત રહેવા ઠાકરશીભાઇ મેતલીયા, જગદીશભાઇ કણસાગરા, કનુભાઇ ગોજારીયા, વજુભાઇ ગોલ તથા સમગ્ર ટ્રસ્ટીઓ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.