આરએસએસ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ વિજયા દશમીનું ભગવા ધ્વજ સાથે ગણવેશધારી સ્વયંસેવકોનું પથ સંચલન રવિવારે સવારના ૧૦.૦૦ વાગે મ્યુ. ગર્લ્સ સ્કૂલેથી નક્કી કરેલા રૂટ પર પ્રસ્થાન કરશે. પથ સંચલન નગરના મુખ્ય માર્ગ મ્યુ. ગર્લ્સ સ્કૂલ, રાજકમલ ચોક, ભીડભંજન મહાદેવ, હીરા મોતી ચોક, આસ્થા હોસ્પિટલ, ગણેશ કોમ્પલેક્ષ, જુબેલી ધર્મશાળા, જુનુ માર્કેટિંગ યાર્ડ, મૂળદાસ સર્કલ, મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલથી પસાર થશે અને એક સ્થાનથી બીજે સ્થાને પહોંચવામાં સંચલનને અંદાજિત પાંચથી સાત મિનિટનો સમય લાગશે.