પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના ભાગરૂપે, જવાહર નવોદય વિદ્યાલય, અમરેલી દ્વારા “ભારત હે હમ” વિષય પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને જ્ઞાન પ્રત્યે રસ જગાવવાનો હતો. આ સ્પર્ધામાં ૧૦૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમણે “ભારત હે હમ” શ્રેણીના પાંચ એપિસોડ જોવાની આગળથી તૈયારી કરી હતી. અંતિમ ચરણમાં કક્ષા ૧૧ વિજ્ઞાનની વિદ્યાર્થિની પીનલે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ૨૫માંથી ૨૪ ગુણ મેળવી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન અરવિંદ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું અને વિદ્યાલયના પ્રિન્સિપાલ વિજયકુમાર બોસના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું.