અમદાવાદથી લંડન જઇ રહેલા એર ઇન્ડિયાનાં પ્લેન એઆઇ ૧૭૧ અમદાવાદ એરપોર્ટથી ઉડ્યાની મીનિટોમાં જ ક્રેશ થઇ ગઇ હતી. આ ફ્લાઇટ બી.જે મેડિકલ કોલેજની બોઇઝ હોસ્ટેલનાં મેસ બિલ્ડીંગ સાથે ટકરાઇને ક્રેશ થઇ હતી. જેમાં પ્રાથમિક રીતે ૨૬૫ લોકોનાં મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે હવે અમદાવાદમાં બી.જે મેડિકલ કોલેજમાં ચાલી રહેલી ડીએનએ પ્રક્રિયાનાં આધારે કુલ ૨૭૦ લોકોનાં મોતની પૃષ્ટિ થઇ ચુકી છે.
બી.જે.મેડિકલ કોલેજ સેમ્પલ્સની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ૨૧૩ લોકોના સેમ્પલ્સ કલેક્ટ થઇ ચુક્યાં છે. જો કે કેટલાક પ્રવાસીઓનાં સંબંધીઓ વિદેશમાં રહેતા હોવાનાં કારણે તેઓ અમદાવાદ પહોંચી રહ્યા છે. તેઓના આવ્યા બાદ તેમનાં ડીએનએ કલેક્ટ કરવામાં આવશે અને તેના આધારે અન્ય મૃતદેહોની ઓળખ કરવામાં આવશે. જેનાં કારણે સમગ્ર પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો છે. તેમ છતા પણ અત્યાર સુધીમાં કુલ ૨૭૦ લોકોનાં મોતની પૃષ્ટિ થઇ ચુકી છે. અમદાવાદ બી.જે મેડિકલ કોલેજ દ્વારા ૨૭૦ લોકોનાં મોતની પૃષ્ટિ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોઇગ ડ્રિમ લાઇનર ૭૮૭ નામનાં આ જહાજ પર અગાઉ પણ સવાલો ઉઠાવાઇ રહ્યા છે. તેવામાં ટાટા ગ્રુપ દ્વારા આ દુર્ઘટનામા મૃત્યુ પામનારા તમામ લોકો જે પેસેન્જર હતા તેમને અને નહોતા તેમને પણ ૧-૧ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત જે લોકો ઘાયલ થયા છે તેમની સારવારનો સંપુર્ણ ખર્ચ ભોગવવા માટેની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.