અમદાવાદમાં આજે સવારથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાબરમતી વિસ્તારમાં રામનગર મેટ્રો સ્ટેશન પાસે ડિમોલિશન કરાયું છે. લાકડાના ૪ પીઠામાં બુલડોઝર ચાલ્યું છે. શહેરમાં કુખ્યાત નઝીર વોરા પર એએમસીએ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર કાર્યવાહી કરી છે, નોટિસ આપ્યા વગર ડિમોલિશન કર્યાનો આરોપ તંત્ર પર મૂકવામાં આવ્યો છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં કુખ્યાત નઝીર વોરા પર છસ્ઝ્રએ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જુહાપુરા સ્થિત ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

૧૦૦૦ વાર જગ્યા પર બાંધેલા ઝુબેદા હાઉસ પોલીસ અને તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે. અધિકારીઓ અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરાશે. કુખ્યાત આરોપી નઝીર વોરા પર ૨૯થી વધુ ગુના નોંધાયા છે.

અમદાવાદ શહેરમાં અગાઉ બાંગ્લાદેશીઓના ઠેકાણા તરીકે જાણીતું ચંડોળા તળાવે થોડા સમય પહેલા ઘૂસણખોરોના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. બુધવારે ૨૦ જેટલા ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા હતા. ફેઝ-૧માં કુખ્યાત લલ્લુ બિહારીના આશિયાના પર સરકારનું બૂલડોઝર ફરી વળ્યું હતું. ત્યારે ફેઝ-૨માં ચંડોળા તળાવનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

ચંડોળા ઘણા સમયથી બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રહેતા હતા. ફેઝ-૨માં આખા ચંડોળા તળાવની ફરતે ડિમોલિશન કરાશે. પોલીસ કમિશ્નરે એએમસી  કમિશ્નર સાથે તમામ ચર્ચા કરી છે. જેમાં ૩૦૦૦ પોલીસ કર્મીઓ અને ૨૫ એસઆરપી ટીમ તૈનાત રહેશે.  ફેઝ-૧માં ૧.૫૦ લાખ ચોરસ મીટર એરિયાનો સફાયો કરાયો હતો. ફેઝ-૨માં ૨.૫૦ લાખ ચોરસ મીટર દબાણ હટાવાશે.