અમદાવાદમાં અમરદીપ હોસ્પિટલમાં બાળકનું મોત નીપજતા ચકચાર મચી છે. અમરજદીપ હોસ્પિટલમાં ૧૧ દિવસના બાળકનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આ બાળકને ભાવનગરથી સારવાર માટે અમરદીપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
જ્યાં બાળકનું મોત નીપજતા પરિવારજનો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. બાળકને લીવરમાં ગાંઠ હોવાથી તેની સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં બાળકના ઓપરેશન બાદ તેની તબિયત લથડી હતી. જેમાં ડોક્ટરની બેદરકારીને કારણે બાળકનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.
તે સિવાય ડોક્ટરે સારવાર માટે ૨૫ લાખ રૂપિયા વસુલ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહી બાળકના સગા દ્વારા પોલીસ પર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.